Posts

Showing posts from March, 2024

વિશ્વ જળ દિવસ- 22 MARCH

 વિશ્વ જળ દિવસ   22 MARCH  જાગ્યા ત્યારથી સવાર,  પાણીનો ના કરીએ બગાડ.               'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે ૨૨ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સ્વચ્છ પાણી આપવાની સાથે સાથે પાણીનું મહત્ત્વ જણાવવા માટે 'વિશ્વ જળ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું બીજું કારણ એ છે કે જે લોકો પાસે પૂરતું પાણી નથી તેઓમાં જાગૃતિ લાવવાનું છે. 'વિશ્વ જળ દિવસ' દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઉજવવામાં આવે છે       વિશ્વ જળ દિવસ સૌપ્રથમ ઔપચારિક રીતે વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના Rio de Janeiro શહેરમાં પર્યાવરણ અને વિકાસ પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સના એજન્ડા ૨૧માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ પછી ૨૨ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ United Nations General Assembly એ ઠરાવ A/RES/47/193 પસાર કરીને અને ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.          પાણી અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે વર્ષ ૧૯૯૩ થી દર વર્ષે ૨૨ મી માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૩...

પપ્પા/Dad/Daddy

પપ્પા 💓💞 કવિઓ એ મા વિશે ઘણું બધું લખ્યું છે મને પહેલા એમ થતું કે કવિઓએ પપ્પા નામના પાત્રને ખૂબ જ અન્યાય કર્યો છે મા વિશે તો ઘણી બધી કહેવતો ઘણી વાર્તાઓ આપણે જાણીએ છીએ "માં તે માં બીજા બધા વગડાના વા", " એક માં સો શિક્ષકની  ગરજ સારે", "ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર", પણ પપ્પા વિશેની તો કહેવત જુઓ  "વડ તેવા ટેટા અને બાપ જેવા બેટા" આમ મને ઘણી વખત થતું કે....  આ પપ્પા વિશે કવિઓ કેમ ઘણું ઓછું લખેલું છે પછી મને સમજાયું કે પપ્પા વિશે લખવામાં કવિઓની કલમ પણ કાચી પડે છે કારણ .....  આ પપ્પા એટલે ? પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ? ના …. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેક્ટિકલ પ્રેરણાદાઇ પુસ્તક... આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે.. કારણકે આ પપ્પા...

20 March વિશ્વ ચકલી દિવસ

  20 March  વિશ્વ ચકલી દિવસ "તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરધાડું,  મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું."                                           - રમેશ પારેખ "ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો દાળનો દાણો !!" બાળપણ આ વાર્તામાં ચકા-ચકીને જોતા જોતા વીત્યું, પણ આજે ના એ ચકલી છે, ના તો એ ચકલો છે, આજે છે તો બસ ઠેર ઠેર મોબાઈલના ટાવર !!  દર વર્ષે ૨૦મી માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) ઊજવવામાં આવે છે. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય લુપ્ત થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે. ચકલી એક સમયે આપણા ઘરમાં, આપણી આસપાસ ચીં... ચીં...કરીને પોતાની હાજરી પુરવાર ...

π day 14 MARCH

 આજનો દિન વિશેષ પાઇ  - π day 14 MARCH         આજે 14 મી માર્ચ એટલે કે પાઈ દિવસ પણ મનાવવામાં આવે છે. આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને પછી મહિનો લખવામાં આવે છે. 14મી માર્ચ ગણિતના રસિયાઓ માટે ખાસ દિવસ છે. માર્ચ 14, 1879 આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે. એટલે દુનિયામાં આજનો દિવસ 'પાઇ દિન' તરીકે ઊજવાય છે.              આમ તો. 'પાઈ(π) એટલે વર્તુળના પરિઘ કે પરિધિ અથવા ઘેરાવાના માપ અને વ્યાસનો ગુણોત્તર. ઘેરાવો ભાગ્યા વ્યાસ. = 3.14 . π એ ગ્રીક બારાખડીનો ૧૬મો અક્ષર છે, જે અંગ્રેજી બારાખડીના P (Perimeter)ની સમકક્ષ છે. તમે ગમે તેટલું મોટું વર્તુળ બનાવો, આ મૂલ્ય બદલાતું નથી. પાઇ' પર વર્તુળની સાઇઝની કશી અસર પડતી નથી. એ તમારી નોટબુકમાં બનાવ્યું હોય કે આખું ક્રિકેટનું મેદાન સમાઈ જાય એવડું હોય. ઘેરાવા અને વ્યાસનો ગુણોત્તર એ જ રહેવાનો. એનું મૂલ્ય આશરે ૩.૧૪ છે. હવે સમજાશે કે માર્ચ મહિનો એટલે ત્રીજો મહિનો. આમ આપણે અમેરિકન પદ્ધતિથી મહિનો અને તારીખ લખીએ તો ૩/૧૪ લખાય જે પાઇ'નું મૂલ્ય છે! ગણિતમાં 'પાઇ' શબ્દનું ચિહ આવું હોય છે : π .  ...

12 March દાંડીકૂચ દિવસ

આજનો દિન વિશેષ 12 March   દાંડીકૂચ દિવસ દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ"... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો...